અમદાવાદમાં RCBની જીત પછી ફૅન્સે વિરાટ કોહલી વિશે શું કહ્યું?
અમદાવાદમાં RCBની જીત પછી ફૅન્સે વિરાટ કોહલી વિશે શું કહ્યું?
પ્રકાશિત
રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઇપીએલની 19મી સિઝનની ફાઇનલ મૅચમાં ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ (આરસીબી) વચ્ચેનો મુકાબલો પાંચ વિકેટથી જીતી લીધો હતો.
આ મૅચમાં ગુજરાત ટાઇટન્સની ટીમ અપેક્ષાથી ઊલટ મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ નીવડી હતી.
ગુજરાત ટાઇટન્સની ટીમ પહેલાં બેટિંગ કરતાં આઠ વિકેટના નુકસાને 155 રન જ બનાવી શકી હતી.
જોકે, સામેની બાજુએ આરસીબી પણ પ્રમાણસર નાનો મનાઈ રહેલો સ્કોર સાવ સરળતાથી હાંસલ કરી શકી નહોતી અને તેના માટે તેણે સંઘર્ષ કરવો પડ્યો હતો.
આક્રમક શરૂઆત બાદ આરસીબીની ટીમ પણ એક પછી એક વિકેટો ગુમાવી રહી હતી. જોકે, જીતના હીરો રહેલા વિરાટ કોહલી તરફથી એક છેડેથી સંયમ અને આક્રમકતાનું ગજબ સંયોજન જોવા મળ્યું. જેના દમ પર આરસીબીની ટીમ 12 બૉલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કરવામાં સફળ રહી હતી.




