BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
બિન-મુસ્લિમોના પ્રવેશની મનાઈ છતાં એક અંગ્રેજ મક્કામાં કેવી રીતે ઘૂસ્યો અને પછી શું થયું?
બર્ટનના નિધનના બીજા દિવસે, ઇઝાબેલ પતિના સ્ટડી રૂમમાં પ્રવેશ્યાં હતાં અને રૂઢિચુસ્ત વિક્ટોરિયન સમાજમાં પતિની છબિ ખરડાશે, તેવા ભયથી ઘણી હસ્તપ્રતો સળગાવી દીધી હતી.
'ગમે તે થાય પુત્રને યુદ્ધમાં નહીં મોકલું', ઈરાનમાં હવે લોકોને શેની બીક લાગી રહી છે?
યુદ્ધ હવે તેના મગજમાં ચાલી રહ્યું છે. જોરથી દરવાજો બંધ થવાના અવાજ કે વાસણ પડવાથી થતા ખખડાટથી પણ તે ચોંકીને ઊછળી પડે છે. યુદ્ધવિરામ પણ આ સ્થિતિને બદલી નથી શક્યો.
વીડિયો, કૉંગ્રેસનાં 22 વર્ષનાં મહિલા ઉમેદવાર પાસે ચૂંટણીના કયા મુદ્દા છે?, અવધિ 3,56
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ બન્ને પક્ષે હસ્તીઓને મેદાને ઊતારી છે તો સાથે જ યુવા ઉમેદવારોને પણ ટિકિટ આપી છે.
હિંદ મહાસાગરમાં પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી, 250 લોકો લાપતા - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
પૅન્ટાગોન કરતાં પણ સાઇઝમાં મોટું સુરત ડાયમંડ બુર્સ હજુ પણ ખાલીખમ કેમ લાગે છે?
સુરત ડાયમંડ બુર્સ શરૂ થયું ત્યારે તે હીરા ઉદ્યોગમાં એક ચમત્કારિક સફળતા સાબિત થશે તેવી અપેક્ષા હતી, પરંતુ હાલનું ચિત્ર એકદમ અલગ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રથમ પ્રતિમા કોણે અને ક્યાં મુકાવી હતી?
ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રથમ પ્રતિમાની કથા ખૂબ રસપ્રદ છે. તેનો શ્રેય કોલ્હાપુરના વિચારક, સ્વાતંત્ર્યસેનાની અને કલાકાર માધવરાવ ખંડેરાવ બાગલને જાય છે, જેઓ 'ભાઈ બાગલ' તરીકે જાણીતા છે.
ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપ કેટલીક બેઠકો પર બિનહરીફ કેમ જીતી રહ્યો છે?
જ્યારે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર ચૂંટણીજંગ લડ્યા વગર જીતી જાય છે, ત્યારે હરીફ પક્ષના કાર્યકરોના મનોબળ ઉપર પણ તેની અસર પડે છે.
'અમૃત ભરેલું અંતર જેનું...', આશા ભોંસલેએ જ્યારે એક જ વર્ષમાં 53 ગુજરાતી ગીત ગાયાં
આશા ભોંસલે દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ગવાયેલાં ગીતોની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે, પણ 1950થી શરૂ કરીને 1991 સુધીમાં તેમણે આશરે ચારસોથી વધુ ગીતો ગાયેલાં છે. આંકડાકીય રીતે જોઈએ તો કોઈ એક જ વર્ષમાં તેમણે ગાયેલાં સૌથી વધુ ગુજરાતી ગીતોની સંખ્યા 53 છે.
રાજકોટ ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર બની રહ્યું છે, પારો સતત ઊંચે કેમ રહે છે?
રાજકોટ શહેર છેલ્લા એકાદ મહિનાથી તેના હવામાનના કારણે ચર્ચામાં છે. રાજકોટમાં 11 માર્ચના રોજ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તે દિવસનું આખા ભારતમાં તે સૌથી ઊંચું તાપમાન હતું. ત્યાર પછીના દિવસોમાં પણ રાજકોટ શહેરનું તાપમાન ગુજરાત રાજ્યમાં સૌથી ઊંચું રહ્યું છે.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
16 વર્ષનું સરમુખત્યાર શાસન, 'અમીરોની સરકાર' ને તોય એક જ દિવસમાં સત્તા જતી રહી
16 વર્ષનું બહુમતવાળું શાસન અને એ દરમિયાન પોતાની મરજી મુજબ પોતાના જ પક્ષને ફાયદો થાય એવા બંધારણીય સુધારા કર્યા. ગરીબ વધારે ગરીબ થયો અને અમીરોનાં ખિસ્સાં છલકાઈ ગયાં ને તોય એક દિવસ એવું શું થયું કે સરકાર ચાલી ગઈ?
એક મિસાઇલ અને ખેલ ખતમ, ઈરાન કઈ રીતે હોર્મુઝને કબજામાં રાખી શકે?
ભારતીય સમય મુજબ, સોમવારે સાંજથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધી અમલમાં આવી ગઈ છે, જેના કારણે 40 દિવસથી કરતાં વધુ સમયથી ચાલી રહેલા ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. આઇઆરજીસીએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેના બંદર ઉપરથી થતી જહાજોની અવરજવરને અટકાવવામાં આવશે, તો તેનાં ગંભીર પરિણામ આવશે.
ભારતમાં ચોમાસું કેવું રહેશે અને ગુજરાતમાં આ વર્ષે ક્યાં કેટલો વરસાદ પડશે, હવામાન વિભાગ શું કહે છે
ભારતના હવામાન વિભાગે 13 એપ્રિલ 2026 રોજ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. આ પૂર્વાનુમાન પ્રમાણે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
અમેરિકાનું એ વિમાન જે પરમાણુ હુમલો થાય છતાં સતત સાત દિવસ સુધી ઊડી શકે છે
'પ્લેન ઑફ ડૂમ્સડે' એટલે કે 'પ્રલયના દિવસનું વિમાન' તરીકે જાણીતું આ વિમાન વાસ્તવમાં બોઇંગ ઇ-4B છે, જેની રચના ખરાખરીની કટોકટી માટે થઈ છે. ભારે કટોકટીના સમયમાં, અમેરિકન રાષ્ટ્રપતિ, સંરક્ષણ સચિવ અને સંયુક્ત ચીફ ઑફ સ્ટાફ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને સરકારના અન્ય વિભાગો સાથે વાતચીત કરવા માટે આ વિમાનનો ઉપયોગ કરે છે.
એ કારણો જેને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે ઇસ્લામાબાદમાં થઈ રહેલી વાતચીત ભાંગી પડી
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત ઘણા અંતરાલ અને વિરામ સાથે 21 કલાકથી વધારે સમય સુધી ચાલી હતી. પરંતુ બંને દેશો વચ્ચે સમજૂતી ન થવા પામી, શું છે તેની પાછળનાં કારણો?
ઈરાનના અખાતમાં દુનિયામાં ક્યાંય પણ હોય એના કરતાં વધારે ઑઇલ-ગૅસ કેમ છે?
પર્શિયન ગલ્ફની આસપાસ 30થી વધુ સુપરજાયન્ટ (અતિશય મોટાં) ક્ષેત્રો છે, જે પૈકી દરેકમાં પાંચ અબજ બેરલ કે તેથી વધુ પ્રમાણમાં ક્રૂડઑઇલ છે. આ પ્રદેશમાં વિશ્વના લગભગ અડધા હાઇડ્રોકાર્બન ભંડાર હોવા છતાં અભ્યાસો સૂચવે છે કે આ ક્ષેત્રમાં હજુ ઘણા ભંડારોની શોધ થવાની બાકી છે.
'મેં તારા પર બળાત્કાર કર્યો એવું વારંવાર કેમ બોલે છે?' 'ચિરૈયા' વેબસીરિઝમાં શું બતાવાયું છે?
નાનાં પક્ષીઓને હિંદીમાં 'ચિરૈયા' કહેવાય છે. આ જ નામ ધરાવતી વેબ સિરીઝ ગત માર્ચમાં જીયોહૉટસ્ટાર ઉપર પ્રસારિત થઈ હતી. લાખો દર્શકો તે જોઈ ચૂક્યા છે, જેને પગલે તેણે નેટવર્કના સૌથી લોકપ્રિય હિંદી શોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
પતિનું ખૂન થતાં પત્નીનો રડતો, વલોપાત કરતો વીડિયો વાઇરલ થયો, પરંતુ પોલીસે તપાસ કરી તો.....
ધાર પોલીસના કહેવા પ્રમાણે, આરોપી પ્રિયંકા પુરોહિતે તેમના કથિત પ્રેમી કમલેશ પુરોહિત સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
ચંદ્ર ઉપર માલિકીનો દાવો કરીને ત્યાં જમીનના પ્લૉટ્સ વેચીને આ માણસ કેવી રીતે માલામાલ થયો?
હોપે 2007માં બીબીસીને જણાવ્યું હતું કે, તેમણે એક દિવસમાં સરેરાશ 1,500 મિલકતો વેચી હતી. પ્લૉટ પસંદ કરવાની રીત વિશે તેમણે જણાવ્યું હતું કે, તેઓ આંખો બંધ કરીને ચંદ્રના નકશા ઉપર પહેલી આંગળી મૂકીને પ્લૉટ પસંદ કરતા હતા.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































