BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
લાખો લોકોનાં મોત, 30 મહિનાનો સંઘર્ષ, જ્યારે ભૂખે મરતાં બાળકોની તસવીરો ઘરેઘરે પહોંચી
આફ્રિકા આઇ ડૉક્યુમેન્ટ્રીના નિર્માણ દરમિયાન તે સમયે જીવતા બચી ગયેલા લોકો એ તે ગાળામાં જીવવાના અને લડવાના તેમના અનુભવો યાદ કર્યા હતા, જેણે લાખો જિંદગીઓ બદલી નાખી હતી અને તેની અસર હજુયે વર્તાય છે.
'તમે ક્યાં રહો છો?' ભારતનું એ ગામ જ્યાંના લોકો આ પ્રશ્નનો જવાબ નથી આપી શકતા
ભારતમાં ઘણાં ગામોનાં નામ જાતિસૂચક છે જેના કારણે તેમાં વસતા લોકોને અપમાન અનુભવાય છે.
'મોઢાનાં ચાંદાં મટતાં નથી', યુવાનોમાં કેમ વધી રહ્યું છે હેડ ઍન્ડ નેક કૅન્સરનું પ્રમાણ?
હેડ ઍન્ડ નેક કૅન્સર એટલે કે માથા અને ગળાના કૅન્સરના કેસોની સંખ્યા વધી રહી છે, પણ વધારે ચિંતાજનક હકીકત એ છે કે આ કૅન્સરનું પ્રમાણ યુવાનોમાં પણ વધી રહ્યું છે.
માનવ સુથાર : પહેલી ટેસ્ટમાં જેમને 'રવીન્દ્ર જાડેજાનું રિપ્લૅસમેન્ટ' ગણવામાં આવે છે તે ખેલાડી કોણ છે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચના બીજા દિવસે માનવ સુથાર ખાસ ચર્ચામાં રહ્યા હતા. 23 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથારે તેમની ડેબ્યૂ મૅચમાં પહેલી જ ઓવરમાં વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી, ચોમાસું વહેલું બેસે તેવાં એંધાણ
તાજેતરમાં ભારતમાં ગત 4 જૂને ચોમાસાની શરૂઆત થયાનું નોંધાયું હતું, જે બાદથી ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે.
વીડિયો, અમદાવાદ : 'મારું આખું મકાન જાય છે, થોડો સમય તો આપવો હતો', પોલીસે કહ્યું કે 'બધું કાયદેસર થયું', અવધિ 3,57
અમદાવાદના મોટેરા વિસ્તારમાં શનિવારે સવારથી જ દબાણો હઠાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે આ જમીન મહાનગરપાલિકાની જ હતી. જેના પર સમય જતાં દબાણો થઈ ગયાં હતાં. જ્યારે જેમનાં ઘરો તોડવામાં આવ્યાં તે અસરગ્રસ્તોનું કહેવું છે કે, તેઓ લાંબા સમયથી આ સ્થળે રહેતા હતા.
બટાકા ખાવાથી ખરેખર ગૅસ થઈ જાય કે પેટ ફૂલી જાય?
બટાકા દુનિયાભરમાં સૌથી વધુ ખવાતા ખાદ્ય પદાર્થોમાંથી એક છે. છૂંટેલા બટાકા, ફ્રાય કરેલા કે ચિપ્સ વગેરે વધુ માત્રામાં ખાધા બાદ કેટલાક લોકોને અસામાન્ય રીતે પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય છે. તો શું ખરેખર વધુ વધારે બટાકા ખાવાથી પૅટમાં ગૅસ થઈ જાય?
ઇઝરાયલ - ઈરાન વચ્ચે ફરી સંઘર્ષ શરૂ, ટ્રમ્પે કહ્યું- 'હવે બહુ થયું, વાતચીતના ટેબલ પર આવીએ'
રવિવારે ઈરાને ઇઝરાયલ પર અનેક મિસાઇલો છોડી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાઓ ચેતવણીરૂપ હતા. રવિવારે સવારે ઇઝરાયલે લેબનોનની રાજધાની બૈરુત પર હુમલો કર્યા પછી ઈરાન દ્વારા આ બૉમ્બમારો કરવામાં આવ્યો હતો.
રાજેશ મહેતાએ બીબીસીને કહ્યું- 'બધાં એલઆઇસી-એલઆઇસીની બૂમો પાડે છે, અમે તેમને શૅર ખરીદવા નહોતું કહ્યું'
શૅરબજાર પર દેખરેખ રાખતી નિયમનકારી સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ની તપાસનો સામનો કરી રહેલી રાજેશ એક્સ્પૉર્ટ્સ પર 2020-21 અને 2024-25નાં નાણાકીય વર્ષો દરમિયાન તેની 15.15 લાખ કરોડ રૂપિયાની આવક વધારી-ચઢાવીને બતાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપો પર કંપનીના માલિક રાજેશ મહેતાનું શું કહેવું છે?
ભારત/વિદેશ
કૉક્રોચ જનતા પાર્ટીને દિલ્હીના જંતર-મંતર પર કરેલા એક દિવસના વિરોધપ્રદર્શનથી શું મળ્યું?
દિલ્હીના જંતર-મંતર પર શનિવારે થયેલું 'કૉક્રોચ જનતા પાર્ટી'નું પ્રદર્શન સમાપ્ત થઈ ચૂક્યું છે. પ્રદર્શન સમાપ્ત થયા બાદ સીજેપી પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ પોતાના ઍક્સ હૅન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે, "આજનું પ્રદર્શન તો માત્ર ટ્રેલર હતું." પરંતુ કૉક્રોચ જનતા પાર્ટીને દિલ્હીના જંતર-મંતર પર કરેલા એક દિવસના વિરોધપ્રદર્શનથી શું મળ્યું?
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલનો લાંબો કાર્યકાળ શા માટે ચર્ચામાં છે?
આનંદીબહેન પટેલ 29મી જુલાઈ, 2019થી ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ છે. આ પદ પર તેમને લગભગ સાત વર્ષ પૂરાં થવા આવ્યાં છે. રાજ્યપાલની ટર્મ સામાન્યપણે પાંચ વર્ષની હોય છે, તેમ છતાં બંધારણીય નિષ્ણાતો કહે છે કે, નવા રાજ્યપાલની નિમણૂંક ન થાય, ત્યાં સુધી આ કાર્યકાળ ચાલુ રહે છે. આનંદીબહેન પટેલને શા માટે આટલી લાંબી ટર્મ આપવામાં આવી છે, તેને લઈને ચર્ચા જાગી છે.
આ ગામમાં ફોન ચાર્જ કરવા માટે 45 કિલોમીટર દૂર જવા મજબૂર છે લોકો
વન દજી ગામની પાંચ પેઢીઓએ આજ સુધી વીજળીનો પ્રકાશ જોયો નથી. નવી પેઢી પણ ચૂલાના ધુમાડા અને દીપકના પ્રકાશ વચ્ચે મોટી થઈ રહી છે.
મુંબઈના ડબ્બાવાળા : જેમણે 100 વર્ષો સુધી લાખો લોકોને જમાડ્યા તેઓ હવે કેમ સંઘર્ષ કરી રહ્યા છે
ડબ્બાવાળા ડબ્બા પહોંચાડવાની તેમની સચોટ વ્યવસ્થા મારફત એક સદી કરતાં પણ વધુ સમયથી મુંબઈને ઘરનું ભોજન જમાડતા આવ્યા છે. પોતાની આગવી ઓળખ ઊભી કરનારા ડબ્બાવાળાઓ હાલમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
પ્રાણથી લઈને ગુલશન ગ્રોવર : જ્યારે બૉલીવુડ ખલનાયકોની નજીક જવામાં પણ લોકો ડરતા હતા
પ્રાણ, જીવણ, અજિત, પ્રેમ ચોપડા, કેએન સિંહ, રણજિત, અમરીશ પુરી, ડૅની, અનુપમ ખેર, અમજદ ખાન, શક્તિ કપૂરથી લઈને ગુલશન ગ્રોવર સુધી ઘણાં બધાં નામ ખલનાયકોની યાદીમાં સામેલ છે.
'આકાશમાં વિમાનનું ઍન્જિન ધડાકાભેર નીકળી ગયું', 148 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવનારાં જાંબાઝ મહિલા પાઇલટની કહાણી
ટૅમી જો શૂલ્ટ્સે હંમેશાં ફાઇટર જેટ ઉડાવવાનું સપનું જોયું હતું. 1960ના દાયકામાં અમેરિકાના ન્યૂ મૅક્સિકોમાં હોલોમૅન ઍર ફોર્સ બેઝ નજીક એક રાન્ચ (પશુઉછેર કેન્દ્ર) પર તેઓ મોટાં થયાં હતાં, આથી તેમના પરિવારના કોઠાર ઉપરથી ગર્જના કરીને પસાર થતાં પ્લેન જોવાનું તેમને ખૂબ ગમતું.
મર્લિન મુનરો@100 : એ અભિનેત્રીની કહાણી જેમાં રાજકારણ, સેક્સ, માફિયા સહિત બધું હતું, તેમનું મોત રહસ્ય કેમ બની ગયું?
મૅરલિન મનરોનું જીવન ઉજ્જ્વળ તો હતું, પરંતુ તેમના જીવનમાં ઘણી પીડા પણ હતી. જન્મનાં 100 વર્ષ પછી પણ તેઓ દુનિયાના આકર્ષણનું કેન્દ્ર છે. તેઓ માત્ર એક આઇકન નહોતાં. મૅરલિન મનરો એક શાનદાર મહિલા અને ઉત્તમ અભિનેત્રી હતાં, ભણેલાં-ગણેલાં, રાજકીય રીતે જાગરૂક અને બદ્ધિશાળી. પરંતુ કહી શકાય કે દબાણ તેમના મૃત્યુનું કારણ બન્યું.
'મારી પાસે 40 કિલો સોનું છે, મારા પતિ દર વર્ષે મારા માટે ત્રણ કિલો સોનું ખરીદે છે' - કોણ છે આ 'ગોલ્ડન ક્વીન'?
તાબિંદા પાકિસ્તાની-બ્રિટિશ મૂળનાં છે અને વૈવિધ્યસભર વ્યક્તિત્વ ધરાવે છે. કેટલાક લોકો તેમને કેવળ એક બિઝનેસમૅનનાં પત્ની તરીકે જુએ છે, તો અન્ય લોકો તેમને સફળ બિઝનેસવુમન તરીકે બિરદાવે છે. વળી, તેઓ સોશિયલ મીડિયા પર લોકપ્રિય સોશિયલ ઍક્ટિવિસ્ટ પણ છે.
દિલ્હી આગ : '15-16 લોકોએ બીજા માળથી કૂદીને જીવ બચાવ્યો', ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ શું કહ્યું?
દિલ્હીના માલવીયનગર વિસ્તારમાં એક ઇમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયાના અહેવાલ છે, દિલ્હી પોલીસે આ વાતની જાણકારી આપી છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































