BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ગુજરાતના એ પાંચ પાક, જે નબળા ચોમાસામાં પણ પાકી જાય અને સારું વળતર આપે
ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે 2026નું નૈર્ઋત્યનું ચોમાસું વરસાદની ઘટવાળું રહેશે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે દેશમાં લાંબા ગાળાના સરેરાશ વરસાદના 90 ટકા જેટલો વરસાદ પડશે અને તેમાં ચાર ટકાનો વધારો કે ઘટાડો થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ખેડૂતો પરંપરાગત પાકોને સ્થાને આ પાકોનું વાવેતર કરી શકે છે અથવા આંતરપાકોની વાવણી કરી શકે છે.
મમતા બેનરજીના પક્ષમાં બળવાનાં એંધાણ, પાર્ટીના 20 સાંસદો શું કરશે તેની અનેક અટકળો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મમતા બેનરજી સામે તૃણમૂલ કૉંગ્રેસ પક્ષને એક રાખવાનો પડકાર છે. પાર્ટીનાં લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે તેમની સાથે 20 સાંસદો છે અને તેમણે લોકસભા સ્પીકર સામે માગ મૂકી છે કે તેમને ગૃહમાં અલગ બેસાડવામાં આવે.
વીડિયો, અમદાવાદ પ્લેન ક્રૅશ : 'મને એનું મોઢું જોવા ન મળ્યું...' 15 વર્ષના દીકરાને ગુમાવનાર પરિવારની વ્યથા, અવધિ 6,21
12મી જૂન, 2025ના રોજ ઍર ઇન્ડિયાનું વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, ત્યારે ઉડ્ડાણની ગણતરીની સેકન્ડોમાં ક્રૅશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક વ્યક્તિનો બચાવ થયો હતો.
ગુજરાત હવામાન : ચોમાસું ક્યાં પહોંચ્યું અને કયા જિલ્લામાં વરસાદની આગાહી?
ભારતમાં ગત 4 જૂને ચોમાસાની શરૂઆત થયાનું નોંધાયું હતું, જે બાદથી ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે.
'ખાન સર'ની ધરપકડ પર પટણા કોર્ટે રોક લગાવી - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ-વિદેશના મહત્ત્વના સમાચારો મેળવવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીની વેબસાઇટ સાથે...
વીડિયો, એ નન્સ, જે એકબીજાને મળ્યાં, પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં, અવધિ 1,07
એવી બે મહિલાઓની વાત જે નન બનવાના હતા, અને હવે તેઓ પરિણીત છે.
લાખો લોકોનાં મોત, 30 મહિનાનો સંઘર્ષ, જ્યારે ભૂખે મરતાં બાળકોની તસવીરો ઘરેઘરે પહોંચી
આફ્રિકા આઇ ડૉક્યુમેન્ટ્રીના નિર્માણ દરમિયાન તે સમયે જીવતા બચી ગયેલા લોકો એ તે ગાળામાં જીવવાના અને લડવાના તેમના અનુભવો યાદ કર્યા હતા, જેણે લાખો જિંદગીઓ બદલી નાખી હતી અને તેની અસર હજુયે વર્તાય છે.
'તમે ક્યાં રહો છો?' ભારતનું એ ગામ જ્યાંના લોકો આ પ્રશ્નનો જવાબ નથી આપી શકતા
ભારતમાં ઘણાં ગામોનાં નામ જાતિસૂચક છે જેના કારણે તેમાં વસતા લોકોને અપમાન અનુભવાય છે.
'મોઢાનાં ચાંદાં મટતાં નથી', યુવાનોમાં કેમ વધી રહ્યું છે હેડ ઍન્ડ નેક કૅન્સરનું પ્રમાણ?
હેડ ઍન્ડ નેક કૅન્સર એટલે કે માથા અને ગળાના કૅન્સરના કેસોની સંખ્યા વધી રહી છે, પણ વધારે ચિંતાજનક હકીકત એ છે કે આ કૅન્સરનું પ્રમાણ યુવાનોમાં પણ વધી રહ્યું છે.
ભારત/વિદેશ
ઇઝરાયલ - ઈરાન વચ્ચે ફરી સંઘર્ષ શરૂ, ટ્રમ્પે કહ્યું- 'હવે બહુ થયું, વાતચીતના ટેબલ પર આવીએ'
રવિવારે ઈરાને ઇઝરાયલ પર અનેક મિસાઇલો છોડી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાઓ ચેતવણીરૂપ હતા. રવિવારે સવારે ઇઝરાયલે લેબનોનની રાજધાની બૈરુત પર હુમલો કર્યા પછી ઈરાન દ્વારા આ બૉમ્બમારો કરવામાં આવ્યો હતો.
રાજેશ મહેતાએ બીબીસીને કહ્યું- 'બધાં એલઆઇસી-એલઆઇસીની બૂમો પાડે છે, અમે તેમને શૅર ખરીદવા નહોતું કહ્યું'
શૅરબજાર પર દેખરેખ રાખતી નિયમનકારી સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ની તપાસનો સામનો કરી રહેલી રાજેશ એક્સ્પૉર્ટ્સ પર 2020-21 અને 2024-25નાં નાણાકીય વર્ષો દરમિયાન તેની 15.15 લાખ કરોડ રૂપિયાની આવક વધારી-ચઢાવીને બતાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપો પર કંપનીના માલિક રાજેશ મહેતાનું શું કહેવું છે?
કૉક્રોચ જનતા પાર્ટીને દિલ્હીના જંતર-મંતર પર કરેલા એક દિવસના વિરોધપ્રદર્શનથી શું મળ્યું?
દિલ્હીના જંતર-મંતર પર શનિવારે થયેલું 'કૉક્રોચ જનતા પાર્ટી'નું પ્રદર્શન સમાપ્ત થઈ ચૂક્યું છે. પ્રદર્શન સમાપ્ત થયા બાદ સીજેપી પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ પોતાના ઍક્સ હૅન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે, "આજનું પ્રદર્શન તો માત્ર ટ્રેલર હતું." પરંતુ કૉક્રોચ જનતા પાર્ટીને દિલ્હીના જંતર-મંતર પર કરેલા એક દિવસના વિરોધપ્રદર્શનથી શું મળ્યું?
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલનો લાંબો કાર્યકાળ શા માટે ચર્ચામાં છે?
આનંદીબહેન પટેલ 29મી જુલાઈ, 2019થી ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ છે. આ પદ પર તેમને લગભગ સાત વર્ષ પૂરાં થવા આવ્યાં છે. રાજ્યપાલની ટર્મ સામાન્યપણે પાંચ વર્ષની હોય છે, તેમ છતાં બંધારણીય નિષ્ણાતો કહે છે કે, નવા રાજ્યપાલની નિમણૂંક ન થાય, ત્યાં સુધી આ કાર્યકાળ ચાલુ રહે છે. આનંદીબહેન પટેલને શા માટે આટલી લાંબી ટર્મ આપવામાં આવી છે, તેને લઈને ચર્ચા જાગી છે.
આ ગામમાં ફોન ચાર્જ કરવા માટે 45 કિલોમીટર દૂર જવા મજબૂર છે લોકો
વન દજી ગામની પાંચ પેઢીઓએ આજ સુધી વીજળીનો પ્રકાશ જોયો નથી. નવી પેઢી પણ ચૂલાના ધુમાડા અને દીપકના પ્રકાશ વચ્ચે મોટી થઈ રહી છે.
મુંબઈના ડબ્બાવાળા : જેમણે 100 વર્ષો સુધી લાખો લોકોને જમાડ્યા તેઓ હવે કેમ સંઘર્ષ કરી રહ્યા છે
ડબ્બાવાળા ડબ્બા પહોંચાડવાની તેમની સચોટ વ્યવસ્થા મારફત એક સદી કરતાં પણ વધુ સમયથી મુંબઈને ઘરનું ભોજન જમાડતા આવ્યા છે. પોતાની આગવી ઓળખ ઊભી કરનારા ડબ્બાવાળાઓ હાલમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
પ્રાણથી લઈને ગુલશન ગ્રોવર : જ્યારે બૉલીવુડ ખલનાયકોની નજીક જવામાં પણ લોકો ડરતા હતા
પ્રાણ, જીવણ, અજિત, પ્રેમ ચોપડા, કેએન સિંહ, રણજિત, અમરીશ પુરી, ડૅની, અનુપમ ખેર, અમજદ ખાન, શક્તિ કપૂરથી લઈને ગુલશન ગ્રોવર સુધી ઘણાં બધાં નામ ખલનાયકોની યાદીમાં સામેલ છે.
'આકાશમાં વિમાનનું ઍન્જિન ધડાકાભેર નીકળી ગયું', 148 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવનારાં જાંબાઝ મહિલા પાઇલટની કહાણી
ટૅમી જો શૂલ્ટ્સે હંમેશાં ફાઇટર જેટ ઉડાવવાનું સપનું જોયું હતું. 1960ના દાયકામાં અમેરિકાના ન્યૂ મૅક્સિકોમાં હોલોમૅન ઍર ફોર્સ બેઝ નજીક એક રાન્ચ (પશુઉછેર કેન્દ્ર) પર તેઓ મોટાં થયાં હતાં, આથી તેમના પરિવારના કોઠાર ઉપરથી ગર્જના કરીને પસાર થતાં પ્લેન જોવાનું તેમને ખૂબ ગમતું.
'મારી પાસે 40 કિલો સોનું છે, મારા પતિ દર વર્ષે મારા માટે ત્રણ કિલો સોનું ખરીદે છે' - કોણ છે આ 'ગોલ્ડન ક્વીન'?
તાબિંદા પાકિસ્તાની-બ્રિટિશ મૂળનાં છે અને વૈવિધ્યસભર વ્યક્તિત્વ ધરાવે છે. કેટલાક લોકો તેમને કેવળ એક બિઝનેસમૅનનાં પત્ની તરીકે જુએ છે, તો અન્ય લોકો તેમને સફળ બિઝનેસવુમન તરીકે બિરદાવે છે. વળી, તેઓ સોશિયલ મીડિયા પર લોકપ્રિય સોશિયલ ઍક્ટિવિસ્ટ પણ છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































