You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિક્રમ-1 : ભારતનું પ્રથમ પ્રાઈવેટ ઑર્બિટલ રૉકેટ અંતરિક્ષમાં છોડવામાં આવ્યું તેની વિશેષતાઓ શું છે?
- લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારતના પ્રથમ પ્રાઇવેટ ઑર્બિટલ રૉકેટે ઉડાન ભરી છે. સ્કાયરૂટ ઍરોસ્પેસ કંપનીએ જાહેરાત કરી છે કે રૉકેટને 18 જુલાઈએ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો)ના શ્રીહરિકોટા લૉન્ચ પેડ પરથી છોડવામાં આવ્યું છે.
કંપનીએ જાહેરાત કરી છે કે ભારતના પ્રથમ પ્રાઇવેટ ઑર્બિટલ રૉકેટ લૉન્ચ મિશન આગમનને સફળતા મળી છે.
આ રૉકેટ (લૉન્ચ વ્હીકલ)નું નિર્માણ હૈદરાબાદસ્થિત સ્કાયરૂટ ઍરોસ્પેસ કંપનીએ કર્યું હતું.
લગભગ ચાર વર્ષ અગાઉ આ કંપનીએ વિક્રમ-એસ નામે એક સબઑર્બિટલ રૉકેટનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
હવે તેણે વિક્રમ-1 નામે એક ઑર્બિટલ રૉકેટ લૉન્ચ કર્યું છે.
સ્કાયરૂટ ઍરોસ્પેસ કંપનીના સહ-સ્થાપક પવન કુમાર ચંદનાએ બીબીસીને જણાવ્યું કે, "પહેલાં અમે 'વિક્રમ-એસ'ને 'મિશન સર્વમ' નામ આપ્યું હતું. હવે અમે 'વિક્રમ-1' પ્રક્ષેપણને મિશન આગમન નામ આપ્યું છે."
વિક્રમ-1ની વિશેષતાઓ શું છે?
વિક્રમ-1 લૉન્ચ વ્હીકલનું નવેમ્બર 2025માં સ્કાયરૂટ ઍરોસ્પેસ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. કંપનીના સહ-સ્થાપક પવન કુમારે બીબીસીને જણાવ્યું કે આ ભારતનું પ્રથમ કૉમર્શિયલ લૉન્ચ વ્હીકલ છે.
તેમણે કહ્યું કે, અમે તેને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી વિક્રમ-1 નામ આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્કાયરૂટ ઍરોસ્પેસ કંપનીએ બીબીસીને આપેલી માહિતી અનુસાર વિક્રમ-1ને એવી રીતે ડિઝાઇન કરાયું છે જેથી તે ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડી શકે. તેની પેલોડ ક્ષમતા પણ ઓછી છે, એટલે કે નાના આકારના ઉપગ્રહોને લઈ જવા માટે સક્ષમ છે.
હાલમાં 350 કિલોનો પેલૉડ ઉઠાવી શકે
પવનકુમારે બીબીસીને જણાવ્યું કે "વિક્રમ-1ની પેલોડ ક્ષમતા 500 કિલો છે. પરંતુ હાલમાં અમે 350 કિલોના પેલોડ સાથે આ પ્રયોગ કરી રહ્યા છીએ."
તેમણે જણાવ્યું કે "350 કિલો વજનના ઉપગ્રહોને લો અર્થ ઑર્બિટ અને 260 કિલો વજનના ઉપગ્રહોને સન સિન્ક્રોનસ ઑર્બિટમાં લઈ જઈ શકાય છે."
એવું કહેવામાં આવે છે કે તે ઉપગ્રહોને પૃથ્વીની સપાટીથી 500 કિલોમીટરની ઉંચાઈ સુધી અંતરિક્ષમાં લઈ જઈ શકે છે.
પવનકુમારે જણાવ્યું કે "આ રૉકેટનું વજન 40 ટન છે અને તે 20 મીટર ઊંચું છે (લગભગ સાત માળની ઇમારત જેટલું). તે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉપગ્રહો લઈ જવાની ક્ષમતા ધરાવે છે."
સ્કાયરૂટે જણાવ્યું કે આ લૉન્ચ વ્હીકલનો વ્યાસ 1.7 મીટર છે અને તેની થ્રસ્ટક્ષમતા 120 કિલોન્યૂટન (kN) છે. તેનું થ્રી-ડી પ્રિન્ટેડ લિક્વિડ એન્જિન પરંપરાગત એન્જિનો કરતાં વજનમાં 50 ટકા હળવું છે. કંપનીનું કહેવું છે કે તેના સૉલિડ ફ્યૂઅલ બૂસ્ટર કાર્બન કમ્પોઝિટ સંરચના ધરાવે છે.
નિંગિલોક માટે 6 પ્રકારના પેલોડ
પવનકુમારે બીબીસીને જણાવ્યું કે વિક્રમ-1 દ્વારા છ પ્રકારના પેલોડ ચંદ્ર પર મોકલી શકાય છે.
તેમણે કહ્યું કે "અમે ભારતમાં ઉત્પાદિત પાંચ પેલોડ અને જર્મન કંપની DQBED GmbH દ્વારા નિર્મિત એક પેલોડ નિંગબો મોકલી રહ્યા છીએ."
સ્કાયરૂટ ઍરોસ્પેસની સ્થાપના 2018માં ઈસરોના ભૂતપૂર્વ એન્જિનિયર પવનકુમાર ચંદના અને નાગા ભરત ઢાકાએ કરી હતી.
નવેમ્બર 2025માં કંપનીએ હૈદરાબાદમાં બે લાખ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં ફેલાયેલા 'ઇન્ફિનિટી કેમ્પસ' નામે એક અત્યાધુનિક વર્કસ્પેસનો પ્રારંભ કર્યો હતો.
સ્કાયરૂટ આ વર્ષે મે મહિનામાં અંતરિક્ષ ટેક્નૉલોજી ક્ષેત્રમાં યુનિકૉર્નનો દરજ્જો મેળવનારી ભારતની પ્રથમ ખાનગી કંપની બની ગઈ હતી.
2022માં ટેસ્ટ રૉકેટ છોડ્યું
સ્કાયરૂટ ઍરોસ્પેસ કંપનીએ 18 નવેમ્બર 2022ના રોજ વિક્રમ-એસ નામે એક સબઑર્બિટલ રૉકેટનું પરીક્ષણ કર્યું હતું. તે ભારતમાં કોઈ પણ પ્રાઈવેટ કંપની દ્વારા ટેસ્ટ કરવામાં આવેલું પ્રથમ રૉકેટ છે.
તેણે પૃથ્વીની સપાટીથી 301.4 સેકન્ડનું અંતર કાપ્યું અને 88.8 કિલોમીટરની ઉંચાઈએ લો અર્થ ઑર્બિટમાં પહોંચી ગયું.
પવનકુમારે બીબીસીને જણાવ્યું કે "વિક્રમ-એસ એક રીતે ટૅસ્ટ રૉકેટ હતું. તેની સફળતા પછી અમે ઓછા સમયમાં, ત્રણ વર્ષમાં વિક્રમ-1નું નિર્માણ કર્યું હતું."
વિક્રમ-એસ કુલ ત્રણ પ્રકારના પેલોડ લઈ ગયુંઃ BAZOOMQ આર્મેનિયા, સ્પેસ કિડ્ઝ ઇન્ડિયા અને એન-સ્પેસ ટેક ઇન્ડિયા.
PSLV અને GSLVમાં શું તફાવત છે?
હાલમાં ઇસરો ત્રણ પ્રકારના લૉન્ચ વ્હીકલ અથવા રૉકેટનો ઉપયોગ કરીને ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલે છે. તેમાં સામેલ છેઃ
- પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (PSLV )
- જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (GSLV)
- જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ એમકે-3 (LVM3)
તેમાંથી PSLV 1750 કિલોગ્રામનો પેલોડ લઈને 600 કિમીની ઉંચાઈએ સન સિન્ક્રોનસ પોલર ઑર્બિટ સુધી પહોંચી શકે છે.
GSLV એક લૉન્ચ વ્હીકલ છે જે સૌથી ભારે ઉપગ્રહોને લઈ જાય છે. ઇસરો સામાન્ય રીતે આ પ્રક્ષેપણ યાનનો ઉપયોય ઇનસેટ સિરિઝના કૉમ્યુનિકેશન સેટેલાઇટને લૉન્ચ કરવા માટે કરે છે.
ઇસરોનું કહેવું છે કે તે 2250 કિલોના પેલોડને જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ) સુધી અને 6000 કિલોના પેલોડને લો અર્થ ઓર્બિટ સુધી લઈ જઈ શકે છે.
ઇસરો ભારે સેટેલાઇટને ઉઠાવવા માટે LVM3નો ઉપયોગ કરે છે. તે ચાર ટન સુધીનું વજન ધરાવતા સેટેલાઈટને જીટીઓ સુધી લઈ જઈ શકે છે. ઇસરોએ જણાવ્યું કે તે 8000 કિલો સુધીનું વજન ધરાવતા સેટેલાઈટને લો-અર્થ ઓર્બિટ સુધી પણ લઈ જઈ શકે છે.
આ ત્રણ લૉન્ચ વ્હીકલની તુલનામાં વિક્રમ-1 બહુ નાના સેટેલાઈટને ઉઠાવી શકે છે અને તેની પેલોડ ક્ષમતા ઘણી નીચી છે.
2027માં વિક્રમ-2નો પ્રારંભ થશે
સ્કાયરૂટે જાહેરાત કરી છે કે વિક્રમ-1ને લૉન્ચ કર્યા પછી તે વિક્રમ-2 લૉન્ચ કરશે. તેને 2017માં છોડવામાં આવશે.
સ્કાયરૂટ કંપનીએ કહ્યું કે તેની પેલોડ ક્ષમતા લો-અર્થ ઓર્બિટ માટે 900 કિલો અને સન સિન્ક્રોનસ ઓર્બિટ માટે 600 કિલો છે.
કંપનીએ જણાવ્યું કે તેમાં વિક્રમ-1 જેવા જ કાર્બન કમ્પોઝિટ સ્ટ્રક્ચર અને એડવાન્સ્ડ ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થશે.
અંતરિક્ષ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સનો ઉદય
કેન્દ્ર સરકારે 2023માં ભારતીય અંતરિક્ષ નીતિ જાહેર કરી હતી. 2015થી 2024 વચ્ચે ઇસરોએ 393 વિદેશી અને ત્રણ સ્વદેશી કોમર્શિયલ સેટેલાઇટનું પ્રક્ષેપણ કર્યું હતું જેનાથી તેને 43.9 કરોડ ડૉલરની આવક મળી હતી.
કેન્દ્ર સરકારે 2024થી ભારતીય અંતરિક્ષ ક્ષેત્રમાં 100 ટકા સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ને મંજૂરી આપવા નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે છેલ્લા એક દાયકામાં અંતરિક્ષ ક્ષેત્રમાં 300થી વધુ સ્ટાર્ટઅપ શરૂ થયા છે.
ઇન્ડિયન નૅશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઑથોરાઇઝેશન સેન્ટર મુજબ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં કેન્દ્રમાં 376 સ્ટાર્ટઅપ્સે અરજી કરી હતી. સાયન્સ ઍન્ડ ટેક્નૉલોજી મંત્રાલય મુજબ 2022માં માત્ર એક સ્ટાર્ટઅપ કામ કરતું હતું, જ્યારે 2024માં આ સંખ્યા 200 કંપનીઓ સુધી પહોંચી છે.
2021માં દુનિયાના અંતરિક્ષ ઉદ્યોગમાં ભારતનો હિસ્સો બે ટકા (8.5 અબજ ડૉલર) હતો. ભારત સરકારનું અનુમાન છે કે 2033 સુધીમાં આ આંકડો 44 અબજ ડૉલર સુધી પહોંચી જશે, જેમાં 11 અબજ ડૉલરની નિકાસ હશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન